પાકિસ્તાનમાં એક કટ્ટરવાદી ઇસ્લામિક પાર્ટીનાં કટ્ટરપંથીઓ દ્વારા દ્વારા ખૈબર પુખ્તુન્ખ્વા પ્રાંતમાં એક મૌલવીનાં નેતૃત્વમાં હિંદુ મંદિરમાં આગ લગાડવા અને તેને તોડી પાડવાનાં કેસમાં ૨૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે, આ હુમલામાં પોલીસે આખી રાત છાપા મારીને ધરપકડ કરી. આ દરમિયાન પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે સંજ્ઞાન લઇને ૫ જાન્યુઆરીનાં દિવસે તેની સુનાવણી કરશે, બીજી તરફ પાકિસ્તાનનાં હિંદુ સમુદાયએ આ ઘટનાની નિંદા કરી છે, અને કડક કાર્યવાહીની માંગ કરી છે. કરક જિલ્લામાં થયેલી આ ઘટનાની માનવાધિકાર કાર્યકર્તાઓ અને પાકિસ્તાનનાં માનવાધિકાર પ્રધાન શિરીન મઝારીએ નિંદા કરી હતી, મઝારીએ ટ્વીટ કરીને મંદિરમાં આગજનીની ઘટનાની નિંદા કરી, અને પોલીસને આ ઘટના માટે જવાબદાર લોકોની ધરપકડ કરવાની અપિલ કરી. જિલ્લા પોલીસ વડા ઇરફાન ઉલ્લાહે જણાવ્યું કે પોલીસે મંદિર પર હુમલા કરીને આ કેસમાં ઘણા લોકોની અટકાયત કરી છે અને પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે જમીયતે ઉલેમા-એ-ઇસ્લામનાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓનાં નેતૃત્વમાં ટોળાએ મંદિર પર હુમલો કરી દીધો, સ્થાનિક હિંદુઓએ આ મંદિરનાં સમારકામ માટે સ્થાનિક અધિકારીઓ પાસે મંજુરી મેળવી હતી, ત્યાર બાદ આ હુમલો કરવામાં આવ્યો.
પાછલી પોસ્ટ