Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઇપીએફઓનાં ૬ કરોડ ખાતાધારકોને થયો ફાયદો

નવા વર્ષે સરકારે નોકરી કરનારા લોકોને મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયે પ્રોવિડન્ડ ફંડ પર મળતા ૮.૫% વ્યાજ સંપૂર્ણ જમા કરવાની મંજૂરી આપી છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનને હવે ખાતામાં એકવાર પૈસા ટ્રાન્સફર કરવાની પરવાનગી મળી ગઈ હતી. સરકારના આ નિર્ણય પછી હવે એક જ વારમાં ખાતાધારકોના ખાતામાં વ્યાજ જમા કર્યું છે. અગાઉ ઇપીએફઓ બે હપ્તામાં ૮.૫ ટકા વ્યાજ બે હપ્તામાં જમા કરતું હતું. એક સમયે, ૮.૧૫ ટકા રકમ, પછી ૦.૩૫ ટકા શેર બીજી વખત આવતો હતો. નાણાં મંત્રાલયના આ નિર્ણયથી ઇપીએફઓમાં નોંધાયેલા ૬ કરોડ ખાતાધારકોને લાભ થશે. અહેવાલ અનુસાર સરકારે ખાતાધારકોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા છે.વ્યાજ દરના આ પ્રસ્તાવ અંગે નાણા મંત્રાલય અને શ્રમ મંત્રાલયની બેઠક આ અઠવાડિયે મળી હતી, જેના પછી કર્મચારી ભવિષ્ય નિધિની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે સપ્ટેમ્બરમાં, કર્મચારીની પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્પીલ્ટ વ્યાજ દરને એક કરવા માટે મંત્રાલયને એક સૂચન રજૂ કરાયું હતું.નાણાં મંત્રાલયની મહોર પછી, હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ટૂંક સમયમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં ૮.૫૦ ટકા વ્યાજ જમા કર્યુ છે. અગાઉ, ઇપીએફઓએ નાણાકીય વર્ષ ૨૦૧૯ માં ૮.૬૫ ટકા વ્યાજ ચૂકવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦ માં ઇપીએફ પર વ્યાજ ૮.૫ ટકા છે, જે ૭ વર્ષમાં સૌથી ઓછું છે. એવું માનવામાં આવે છે કે ખાતામાં સંપૂર્ણ વ્યાજ ટ્રાન્સફર કરવાથી ખાતા ધારકોને ફાયદો થશે. આ સાથે ઈપીએફઓની મુશ્કેલીઓ પણ ઓછી થશે. તમે તમારા પીએફ ખાતાનું બેલેન્સ મિસ કોલ આપીને જાણી શકો છો.

Related posts

434 deaths within 24 hours due to Covid-19; India’s tally reached to 6,04,641

editor

राफेल : जनता कांग्रेस के आरोपों को माफ नहीं करेगी प्रसाद

aapnugujarat

अमेठी में ट्रक-बाेलेरो भिड़े, 5 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1