Aapnu Gujarat
ગુજરાત

વિજાપુર ધનપુરા રણછોડપુરા વચ્ચેના રોડ પર અકસ્માત : ૨નાં મોત

વિજાપુર તાલુકાના રામપુરા ગામના બે યુવકો સાંજે દોડવા ગયા હોય ઈકો કારે હડફેટે લેતાં બંન્નેે યુવકોના મોત નિપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. મળતી વિગતો મુજબ તાલુકાના રામપુરા (કુ) ગામના યુવકો ગુરૂવારે (૧) રાવળ સાગરકુમાર મહેન્દ્રભાઈ ઉંમર ૨૬ વર્ષ (૨) રાવળ મેહુલકુમાર ધનાભાઇ ઉંમર ૧૮ વર્ષ બંને દરરોજની જેમ રાબેતા મુજબ રોડ ઉપર દોડવા માટે ગયા હતા અને જ્યારે ઘરે પાછા આવતાં હતાં તે સમય દરમિયાન ધનપુરા બાજુથી ફુલસ્પીડમાં આવતી અને રણછોડપુરા તરફ જતી ઈકો ગાડી નંબર જીજે૨૭બીઈ – ૭૦૫૨ નંબરની ઈકો ગાડીના ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતા રોડ ઉપર દોડી રહેલા બંને યુવકોને અડફેટમાં લેતા થોડે દૂર સુધી ઘસડતા ઘટના સ્થળે બંનેના મોત નિપજ્યા હતાં. અકસ્માતની જાણ થતાં ગામના લોકો દોડી આવ્યાં હતાં. ઈકો ગાડીનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્માની ભાજપમાં અનુ. જાતિના મિડિયા વિભાગનાં પ્રદેશ પ્રભારી તરીકે નિમણૂંક

editor

इतिहास में पहलीबार तीन लोगों ने रथयात्रा की पहिंदविधि की

aapnugujarat

મતદાન જાગૃતિ માટે સંકલ્પ પત્ર ભરાવવાની પ્રક્રિયા થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1