ધોરાજી નજીક આવેલ મોટી પરબડી ગામે લેઉવા પટેલ બાબરીયા પરિવારના કુળદેવી આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિર ખાતે બાબરીયા પરિવાર દ્વારા પરિવારના પુત્ર કે પુત્રી કોઈના પણ લગ્ન પ્રસંગે સામાજિક સમરસતા આવે, કુરિવાજોને તિલાંજલી મળે, સમાજમાં દેખાદેખીથી લોકો ખોટા ખર્ચમાં ના આવે તેવા શુભ હેતુથી બાબરીયા પરિવાર દ્વારા આજરોજ ધોરાજી નજીક આવેલ મોટી પરબડી ગામે પરિવારની પુત્રીને સામાજિક સમરસતા આવે તેવા શુભ હેતુથી પરણાવેલ હતી. આ તકે પુત્રીના પિતા તથા પુત્રના પિતાનું બાબરીયા પરીવારના સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું અને વડીલો દ્વારા નવદંપતીઓને આર્શીવચન આપ્યાં હતાં. આ તકે પરિવારના ધીરુભાઈ બાબરીયાએ જણાવેલ હતું કે બાબરીયા પરિવારના પુત્ર કે પુત્રીઓને મોટી પરબડી મંદિર ખાતે લગ્ન કર્યા પાસે આ સામાજિક સમરસતાના કાર્યક્રમમાં પરિવારજનો હાજર રહ્યાં હતાં.
(હેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)