Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓઆઇસી ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરથી દુર રહે : ભારત

ભારતે ઇસ્લામી સહયોગ સંગઠન(ઓઆઇસી)ને જમ્મુ કાશ્મીરના તથ્યાત્મક ખોટા અને અવાંછિત સંદર્ભ આપવા માટે ટીકા કરી છે.
આ સાથે જ ઓઆઇસીએ તાકિદની કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મિર ભારતનો અભિન્ન અંગ અને અવિભાજય હિસ્સો છે અને ભવિષ્યમાં બીજીવાર તેના ખોટા સંદર્ભ આપવાથી સંગઠને બચવું જોઇએ એ યાદ રહે કે લગભગ ૫૦ મુસ્લિમ દેશોની સભ્યતાવાળા વાળા ઓઆઇસીને સંયુકત રાષ્ટ્ર સંઘ બાદ બીજુ સૌથી મોટું સંગઠન માનવામાં આવે છે.
ભારતે એક સખ્ત નિવેદન જારી કરતા ઓઆઇસીને ભવિષ્યમાં આ મુદ્દાથી દુર રહેવાી સલાહ આપી ભારતે સ્પષ્ટ રીતે પાકિસ્તાન તરફ ઇશારો કરતા કહ્યું કે આ દુખદ છે કે ઓઆઇસી ધાર્મિક અસહિષ્ણુતા કટ્ટરવાદ અને લધુમતિઓના ઉત્પાડનમાં ધૃણિત રેકોર્ડ રાખનાર દેશોને સતત પોતાના દુરૂપયોગ કરવાની મંજુરી આપી રહ્યું છે.
હકીકતમાં ઓઆઇસીએ નાઇઝરમાં આયોજીત પોતાની વિદેશ મંત્રી પરિષદ (સીએફએમ)ના ૪૭માં સત્ર દરમિયાન જમ્મુ કાશ્મીરની રાજનીતિને લઇ ભારતનો હવાલો આપ્યો હતો.
વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે મજબુતીથી નિયમોમાં આયોજીત ઓઆઇસી બેઠકમાં રજુ ધોષણાપત્રમાં ભારતને લઇ તથ્યાત્મક ખોટા અને અવાંછિત માહિતીઓ આપવાની ટીકા કરીએ છીએ જમ્મુ કાશ્મીર ભારતનો અખંડ અને અવિભાજય હિસ્સો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે હંમેશા એ વાત પર કામ રહ્યાં છીએ કે ઓઆઇસીનો ભારતની આંતરિક સ્થિતિથી જોડાયેલ મામલામાં કોઇ અધિકાર નથી

Related posts

ત્રિપુરામાં નરેન્દ્ર મોદી બાદ યોગીની સૌથી વધારે માંગ રહી

aapnugujarat

કેરળમાં પરિસ્થિતિ વિકટ : ગૃહમંત્રીની કબૂલાત

aapnugujarat

જાકીર મુસા ગેંગના ચાર સભ્યો સિવાય તમામનો ખાતમો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1