Aapnu Gujarat
ગુજરાત

કુકરવાડા ગામના વેપારીઓ દ્વારા સ્વયંભુ બંધ

વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના વેપારીઓએ કોરોના મહામારીને જોતા લોક હિતાર્થે ગ્રામ પંચાયતનો સંપર્ક લઇને બપોરના બે વાગ્યા બાદ સ્વયંભુ લોકડાઉન પાળવાનો નિર્ણય કર્યો છે. કુકરવાડા ગામમાં સવારે ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી બજાર ખુલ્લું રહેશે. હાલ તાલુકામાં વધતા જતા કોરોના કેસને અટકાવવા વેપારીઓએ સ્વયં નિર્ણય કુકરવાડા ગ્રામ પંચાયતના સહયોગથી નોટિસ આપીને વેપારીઓએ નિર્ણય લઇને કોરોના અટકાવવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય મેડીકલ અને દવાની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. વેપારીઓ દ્વારા લેવામાં આવેલાં આ નિર્ણયની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.
(અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

મગફળી કૌભાંડને લઇ પરેશ ધાનાણીના ઉપવાસ શરૂ

aapnugujarat

इको फ्रेन्डली गणेश मूर्ति के लिए जगह आवंटित कराई गई :रिवरफ्रन्ट और वस्त्रापुर हाट से मूर्ति खरीद सकेंगे

aapnugujarat

નવસારી ખાતે મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણી : રસોઇ શો અને સુખડી વિતરણ કાર્યક્રમ યોજાયો :

aapnugujarat

Leave a Comment

UA-96247877-1