વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના વેપારીઓએ કોરોના મહામારીને જોતા લોક હિતાર્થે ગ્રામ પંચાયતનો સંપર્ક લઇને બપોરના બે વાગ્યા બાદ સ્વયંભુ લોકડાઉન પાળવાનો નિર્ણય કર્યો છે. કુકરવાડા ગામમાં સવારે ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી બજાર ખુલ્લું રહેશે. હાલ તાલુકામાં વધતા જતા કોરોના કેસને અટકાવવા વેપારીઓએ સ્વયં નિર્ણય કુકરવાડા ગ્રામ પંચાયતના સહયોગથી નોટિસ આપીને વેપારીઓએ નિર્ણય લઇને કોરોના અટકાવવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય મેડીકલ અને દવાની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. વેપારીઓ દ્વારા લેવામાં આવેલાં આ નિર્ણયની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.
(અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)
આગળની પોસ્ટ