Aapnu Gujarat
Uncategorized

ભાવનગર જિલ્લાને પ્રથમ તબક્કામાં આઠ બાદ બીજા તબક્કામાં વધુ ત્રણ મોબાઈલ પશુ વાન અર્પણ કરાઈ

ગુજરાત સરકાર જીવદયા અને કરૂણાને વરેલી છે. એના પગલે મૂંગા જીવોની જીવન રક્ષા માટે વ્યાપક કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ કરુણા અભિયાનના જાણે કે એક સશક્ત કદમના રૂપમાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક માનવ સારવાર માટેની ૧૦૮ સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર ૧૯૬૨ આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લાને પહેલા ફેઝમાં ૮ અને આજરોજ બીજા ફેઝમાં ૩ પશુ વાન અર્પણ કરાઈ હતી જેને લીલી ઝંડી આપી પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા અને રાજ્ય શિક્ષણમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ નવા જ અભિગમ સાથે રાજ્યમાં પશુની સારવાર માટે ૧૯૬૨ મોબાઈલ પશુવાહન દવાખાનાની શરૂઆત કરવામાં આવી છે. જેના બીજા તબક્કામાં ભાવનગર જિલ્લામાં આજરોજ ૩ નવી મોબાઈલ પશુવાહનનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં જેસર તાલુકાના બેલા ગામ ખાતે, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી તથા મહુવા તાલુકાના કળસાર ગામ ખાતે કાર્યરત થશે. આ પશુ દવાખાનાની જ્યાં જરૂર હશે ત્યાં જઈ નિઃશુલ્ક સારવાર આપશે. કોરોનાના સમયમાં પણ રાજ્ય સરકાર દ્વારા આરોગ્યને લગતી તમામ નોંધપાત્ર કામગીરી કરી છે.““આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે ૧૦ ગામ દિઠ ક્લસ્ટર મુજબ ૧ એમ્બ્યુલન્સ પશુઓની સેવામા કાર્યરત રહેશે. જેના પહેલા ફેઝમાં ૮ તેમજ બીજા ફેઝમાં ૩ અને હજુ પણ ત્રીજા ફેઝમાં ૮ એમ તબક્કાવાર કુલ ૧૯ ફરતા પશુ દવાખાના ભાવનગર જિલ્લાને મળશે. શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ૧૦૮ની સેવા શરૂ કરી હતી. આજ પ્રણાલીને આગળ વધારી આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ માનવીની જેમ જ પશુઓની પણ દરકાર લીધી છે.ઘણા રાજ્યોમા હાલ માનવીઓ માટે પણ એમ્બ્યુલન્સની સુવીધા નથી ત્યારે ગુજરાત સરકારે પશુઓ માટે આ સુવિધાઓ ઉભી કરી માનવી જેટલુ જ પશુનુ જીવન પણ અમુલ્ય છે અને તેને રક્ષિત કરવા કટીબધ્ધ બની છે.““આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વકતુબેન મકવાણા, ઉપ પ્રમુખ શ્રી બી.કે.ગોહિલ, શ્રી મુકેશભાઈ લંગળીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી બી.જે.સોસા, ય્ફદ્ભ સ્ટેટ હેડ શ્રી સતિષ પટેલ સહિતના મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ જી.વી.કે. ઈએમઆર.આઈ.ના કર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

ઠીકરીયાના ખારા વિસ્તારનાં તળાવમાં ડૂબી જવાથી પિતા અને બે પુત્રોના મોત નિપજ્યા

editor

લતીપુર ગ્રામ પંચાયત હાઇસ્કુલ ખાતે રાત્રી મુકામ કાર્યક્રમ જામનગર જિલ્લાના કલેકટરશ્રી આર.જે.માકડીયાના અધ્યક્ષ સ્થાને સંપન્ન

aapnugujarat

અમદાવાદથી લખનઉં જતા વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, 54 લોકો સવાર હતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1