પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે આવેલા ખોડીયાર મંદિરમાં હવન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ હાજર રહ્યાં હતાં. હવન પુજન કરીને યજ્ઞકુંડમાં નાળીયેરની આહુતિ આપવામાં આવી હતી. નવરાત્રી પર્વની ઉજવણી સમાપ્ત થઈ ગઇ છે. ખોડીયાર મંદિરમા હવનનું આયોજન ગ્રામવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ખોડીયાર મંદિર ખાતે દર વર્ષે ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે પણ આ વખતે કોરોનાની મહામારીને કારણે ગરબાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું માત્ર આરતી અને પૂજન કરવામાં આવતું હતું. અહીં ગામની માતાબાઈનું સ્થાનક આવેલું છે, જે ગામની રક્ષા કરે છે. આ વખતે કારણોસર દશેરાના પછીના બીજા દિવસે હોમહવન યજ્ઞનું આયોજન કરાયું હતું.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)