શહેરા તાલુકાના લાભી ગામમાં આઠમ નિમિત્તે યજ્ઞ કરાયો હતો. ગામમાં કોરોના મહામારી જોતા સરકારશ્રીની ગાઈડ લાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. લાભી ગામના બહુચરાજી યુવક મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવની રમઝટ બોલાવામાં આવે છે.આ વર્ષે કોરોના મહામારીને કારણે નવરાત્રી ગરબા આયોજન યુવક મંડળ રદ કરવામા આવ્યું હતું અને માતાજીના ગરબા તેમજ જવારા વાવીને સ્થાપન કરવામા આવેલ હતું જેમાં આરતી પૂજન કરવામા આવતા હતા.આસો નવરાત્રીમા આઠમનું વિશેષ મહત્વ છે જેના લઇને આઠમનો હોમહવન શાસ્રોકત વિધી સાથે કરવામા આવ્યો હતા. હવનમાં નાળિયેર-પુજાપો સહિત ધરાવામાં આવ્યું હતુંજેમા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામજનોએ દેશ-દુનિયા કોરોનાની મહામારીથી મુક્ત થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)