આઈપીએલ સીઝન ૧૩ સમાપ્ત થયાના થોડા દિવસ પછી, ભારતીય ક્રિકેટ ટીમ (ટીમ ઈન્ડિયા) ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવાના થવાની છે. તેવામાં આ લાંબા પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયાએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉલ વેલ્સની સરકારે ક્વોરન્ટાઇમ પીરિયડ દરમિયાન ભારતીય ખેલાડીઓને મેદાન પર પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપી દીધી છે. ખરેખર, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) આ મામલે સીએ સમક્ષ માગ કરી હતી જેને હવે લીલી ઝંડી મળી ગઈ છે. ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત વનડે સિરીઝથી થશે.
બંને દેશો વચ્ચે ત્રણ વન ડે સિરીઝની પ્રથમ અને બીજી મેચ ૨૭ અને ૨૯ નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પછી, શ્રેણીની ત્રીજી વનડે મેચ ૧ ડિસેમ્બરે કેનબેરાના ગ્રાઉન્ડ પર રમાશે. વનડે સિરીઝ બાદ બંને દેશો વચ્ચે ત્રણ ટી -૨૦ મેચની શ્રેણી હશે. ત્રણ ટી -૨૦ મેચની શ્રેણીની પહેલી મેચ ૪ ડિસેમ્બરે કેનબરાના ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે. જ્યારે શ્રેણીની બાકીની બે મેચ ૬ અને ૮ ડિસેમ્બરે સિડની ગ્રાઉન્ડ પર યોજાશે.
ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ચાર ટેસ્ટ મેચ પણ રમશે. ૧૭-૨૧ ડિસેમ્બરની વચ્ચે એડિલેડ ઓવલ ખાતે પિંક બોસ તરફથી એક ટેસ્ટ મેચ પણ રમવામાં આવશે. એડિલેડને તેની સાથે બોક્સિંગ ડે ટેસ્ટ માટે પણ વિકલ્પ તરીકે રાખવામાં આવી છે. જો કોવિડ -૧૯ પરિસ્થિતિ ૨૬-૩૦ ડિસેમ્બરની વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોક્સીંગ ડે ટેસ્ટ મેચ યોજવાની મંજૂરી આપતી નથી, તો તે એડિલેડમાં જ હશે. આ ઉપરાંત, શ્રેણીની ત્રીજી ટેસ્ટ ૭-૧૧ જાન્યુઆરીથી સિડનીમાં રમાશે, જ્યારે શ્રેણીની છેલ્લી ટેસ્ટ અને ટૂરિઝ ૧૫-૧ જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાશે.