વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં છે. મોદી સૌપ્રથમ સાબરમતી આશ્રમ પહોંચ્યાં હતાં જ્યાં તેમણે વડાપ્રધાન મોદીએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતાં અને વૃક્ષારોપણ પણ કર્યું હતું અને બાદમાં ચરખો કાંત્યો હતો અને પ્રદર્શન નિહાળ્યું હતું. મોદી સંગ્રહાલયમાં પ્રદર્શન જોઈ પોાતનો અનુભવ બુકમાં લખ્યો હતો. મોદી ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજ્યંતિ નિમિત્તે ૧૫૦ રૂપિયાનો સિક્કો તેમજ ટપાલ ટિકિટ બહાર પાડશે.