ભારત અને ચીન વચ્ચે છેલ્લા થોડા મહિનાથી ચાલી રહેલા તનાવમાં પહેલીવાર ભારતના આક્રમક વલણથી ચીન થોડું ઠંડું પડ્યું હતું અને વાટાઘાટો દરમિયાન લદ્દાખ સરહદે હવે સૈન્યબળ નહીં વધારવા સંમત થયું હતું. એથી પણ આગળ વધીને યુનોમાં ચીને કહ્યું હતું કે અમારે કંઇ ભારત સાથે યુદ્ધ કરવું નથી. લાંબા સમયની વાટાઘાટો પછી મંગળવારે ચીન એ વાત પર સંમત થયું હતું કે હવે સરહદ પર લશ્કરી બળ વધારવું નથી.