સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઉભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષ ની અતિવૃષ્ટિથી પાક બરબાદ થઇ રહ્યો છે ત્યારે ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઇ છે અને નાશીપાસ થઈ આત્મહત્યા નું પગલું ભરી રહ્યા છે તે બાબત દુઃખનીય છે સરકાર ની ખેડૂતો બાબતે ઉદાસીનતા ગંભીર પરીણામ તરફ ખેડૂતોને દોરી જાય છે ત્યારે આજે રાજ્યમાં વધુ એક ખેડૂતની આત્મહત્યાનો સમાચાર સામે આવ્યો છે. ત્યારે આજે સાયલા તાલુકા ના ઢેઢુકી ગામનાં ખેડૂત યુવાન પ્રતાપભાઈ માત્રાભાઈ વેગડ ઉ.વ.૩૫ એ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો છે. પાળીયાદ હોસ્પિટલ ત્યાર બાદ બોટાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવતાં ગામમાં અને ખેડૂતોમાં શોક નું મોજું ફરી વળેલ છે.
પ્રતાપભાઈ અતિવૃષ્ટીના કારણે નિષ્ફળ ગયેલા પાકથી ચિંતિત હતા. એક તરફ કોરોનાની મહામારી અને લૉકડાઉન અને ત્યારબાદ સર્જાયેલી આર્થિક સ્થિતિઓએ દેશના તમામ વર્ગની કમર તોડી નાંખી છે. એવામાં એક ખેડૂતની આત્મહત્યાથી દુખની લાગણી છવાઈ ગઈ છે. ગત સપ્તાહમાં આવી ઘટના જૂનાગઢમાં બની હતી. જ્યાં ૧૫થી ૨૦ વિઘામાં વાવેલા કપાસનો પાક નિષ્ફળ જવાના ડરના કારણે ખેડૂતે ખેતરમાં સરગીને આત્મહત્યા કરી હતી. આ મામલેને પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.
પાછલી પોસ્ટ