Aapnu Gujarat
ગુજરાત

બહેરામપુરામાં ગરીબોને ભોજન અપાયું

દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા ટીમ અને એનજીઓના સહયોગથી શહેરના બહેરામપુરા વિસ્તારમાં રક્તપિત જેવા રોગથી પીડાતા ૬૦ જેટલા ગરીબોને ભોજન આપવામાં આવ્યું હતું. આ ભોજનનું વિતરણ શ્રી નિધિ સેવા ટ્રસ્ટના સભ્ય બિંદુબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનનાં મહિલા ટીમના સભ્યો સેજલબેન, કિંજલબેન, નારી અદાલતના હેતલબેન, ઝરીયા એ દુા ફાઉન્ડેશનના બુરહાનુદ્દીન કાદરી, તબ્બસુમ પઠાણ, શ્રીનિધઇ સેવા ટ્રસ્ટના બિંદુબેન, પોલીસ સમનવય પ્રેસ અને શ્રીનિધિ ટ્રસ્ટના (શ્રી જયમાડી) પંકજ પંચાલ, સહચયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવિણ વેગડા, ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના સીએસઆર અને મેનેજર મિલન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

માણસા કોંગ્રેસ ન.પા.ના ઘણાં સભ્ય ભાજપમાં સામેલ

aapnugujarat

ઇશરત કેસ : જાવેદ શેખના પિતા ગોપીનાથનું મોત થયું

aapnugujarat

સોમનાથ ટ્રસ્ટ દ્રારા લોકડાઉન દરમ્યાન પ્રસાદી, રાશનકીટ, ફુડ પેકેટ, માસ્ક વિગેરેનું વિતરણ કરાયું

editor

Leave a Comment

UA-96247877-1