વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ૧૪ સપ્ટેમ્બર થી ૧૭ સપ્ટેમ્બર સુધી સેવાસપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.૧૭ સપ્ટેમ્બરે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના ભાગરૂપે સમગ્ર દેશમાં જન્મદિવસની ઉજવણી થતી હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હિંમતનગરના શક્તિનગર વિસ્તારમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરને સ્વચ્છ રાખવા માટે ભાજપના કાર્યકરો દ્વારા ઝાડુ લઈને કચરો સાફ કર્યો હતો તેમજ ૧૭ સપ્ટેમ્બર સુધીમાં સેવા સપ્તાહ કાર્યક્રમમાં ગરીબ વ્યક્તિઓને ચશ્માનું વિતરણ, દિવ્યાંગ માટે જરૂરી કૃત્રિમ અંગ વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, ૭૦ વૃક્ષનું વાવેતર, સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજી વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે.
(તસવીર / વિડિયો / અહેવાલ : દિગેશ કડિયા, હિંમતનગર)