વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલને જોવાનું સપનું જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. અગામી ૨૧ સપ્ટેમ્બરથી પર્યટકો માટે તાજમહેલ અને કિલ્લાઓને ખોલી નાખવામાં આવશે. આ અંગેની જાહેરાત પુરાતત્વ વિભાગે સોમવારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર કરી છે. જોકે આ દરમિયાન કોરોનાને લઈને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવું અનિવાર્ય હશે.
હવે ૨૧ સપ્ટેમ્બરથી તાજમહેલને ખોલવામાં આવશે. જોકે આ દરમિયાન પર્યટકો પાસે કોરાનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. પુરાતત્વ વિભાગના અધીક્ષક બસંત કુમાર સ્વર્ણકારે જણાવ્યું કે આ દરમિયાન તાજમહેલ પર ૫ હજાર અને કિલ્લા પર ૨૫૦૦ લોકોને જ માત્ર ઓનલાઈન ટિકિટ પર પ્રવેશ મળશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. આ દરમિયાન ૫-૫ની સંખ્યામાં જ લોકો તાજમહેલની મુલાકાત કરી શકશે.