પોતાના પરિવારની પરેશાનીને લઈને એક્ટર આદિત્ય પંચોલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, છેલ્લા એક-દોઢ મહિનાથી તેના પરિવારે ઘણું બધું સહન કર્યું છે. તેણે જણાવ્યું કે, એક મૂર્ખ છોકરાએ પોસ્ટ કરી અને આખું મીડિયા આ અંગે વાત કરવા લાગ્યું. આ વાત નવી નથી. દરેક વ્યક્તિએ જવાબદાર બનવું જોઈએ, અમને બધાંને તેના કારણે ખૂબ પીડામાંથી પસાર થવું પડ્યું છે.
આદિત્ય પંચોલીએ આગળ કહ્યું- હું સોશિયલ મીડિયા પર નથી, પરંતુ લોકો સૂરજ (આદિત્યનો દિકરો)ને ટ્રોલ કરી રહ્યાં છે. કહી રહ્યાં છે કે, તૂ ખૂની છે. આ કારણથી સૂરજને તેનું કમેન્ટ સેક્શન બંધ કરવું પડ્યું છે. આદિત્યએ કહ્યું- શું કોઈને પાસે આ વાતના પુરાવા છે? નથી તો આ વાત સાચી નથી, આ તો જંગલ રાજ છે.
કંગના રનૌત વિશે આદિત્ય પંચોલીએ કહ્યું, જે થાળીમાં ખાય છે તેમાં જ થૂંકે છે. શું કહી શકાય આવી સ્ત્રી વિશે, અમે તેના પર માનહાનિનો કેસ પર કર્યો છે. તેણે તો મારા અને મારા પરિવાર વિશે કંઈ કહેવું જ ન જોઈએ. સાથે જ આદિત્યએ પૂછ્યું કયા નેપોટિઝ્મ વિશે કંગના હમેશાં વાત કરતી રહે છે, એ પણ જાણવા માંગે છે.
આગળની પોસ્ટ