Aapnu Gujarat
મનોરંજન

કંગના જે થાળીમાં ખાય છે તે થાળીમાં જ થૂંકે છે : આદિત્ય પંચોલી

પોતાના પરિવારની પરેશાનીને લઈને એક્ટર આદિત્ય પંચોલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, છેલ્લા એક-દોઢ મહિનાથી તેના પરિવારે ઘણું બધું સહન કર્યું છે. તેણે જણાવ્યું કે, એક મૂર્ખ છોકરાએ પોસ્ટ કરી અને આખું મીડિયા આ અંગે વાત કરવા લાગ્યું. આ વાત નવી નથી. દરેક વ્યક્તિએ જવાબદાર બનવું જોઈએ, અમને બધાંને તેના કારણે ખૂબ પીડામાંથી પસાર થવું પડ્યું છે.
આદિત્ય પંચોલીએ આગળ કહ્યું- હું સોશિયલ મીડિયા પર નથી, પરંતુ લોકો સૂરજ (આદિત્યનો દિકરો)ને ટ્રોલ કરી રહ્યાં છે. કહી રહ્યાં છે કે, તૂ ખૂની છે. આ કારણથી સૂરજને તેનું કમેન્ટ સેક્શન બંધ કરવું પડ્યું છે. આદિત્યએ કહ્યું- શું કોઈને પાસે આ વાતના પુરાવા છે? નથી તો આ વાત સાચી નથી, આ તો જંગલ રાજ છે.
કંગના રનૌત વિશે આદિત્ય પંચોલીએ કહ્યું, જે થાળીમાં ખાય છે તેમાં જ થૂંકે છે. શું કહી શકાય આવી સ્ત્રી વિશે, અમે તેના પર માનહાનિનો કેસ પર કર્યો છે. તેણે તો મારા અને મારા પરિવાર વિશે કંઈ કહેવું જ ન જોઈએ. સાથે જ આદિત્યએ પૂછ્યું કયા નેપોટિઝ્‌મ વિશે કંગના હમેશાં વાત કરતી રહે છે, એ પણ જાણવા માંગે છે.

Related posts

વિદ્યા બાલન ઐતિહાસિક ફિલ્મમાં ભૂમિકા નહીં કરે

aapnugujarat

આઠ વર્ષમાં પ્રથમવાર સિંગલ હોવાનો કૃતિ ખરબંદાનો દાવો

aapnugujarat

अक्षय कुमार को अयोध्या में ‘रामसेतु’ की शूटिंग करने की अनुमति मिली

editor

Leave a Comment

UA-96247877-1