Aapnu Gujarat
શિક્ષણ

અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ ગોવિંદ ગુરૂ યુનિ.ના રજિસ્ટ્રારને આવેદનપત્ર સોંપ્યું

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે “પાંચ જિલ્લાઓની કોલેજોનો સમાવેશ કરતી શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી આવેલી છે. હાલમાં કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે. શિક્ષણકાર્ય પણ હવે ઓનલાઈન ચાલી રહ્યું છે. હિન્દુ યુવા વાહિની સંઘ અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા આજે યુનિવર્સિટિના રજિસ્ટ્રારને લેખિત આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે, ગુજરાત યુનિર્વસીટીમાં અભ્યાસ કરતા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રોગેશન આપી દેવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના એમ.એ, એમ.એ.સી, એમ.કોમ. (સેમ-૨)ના વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રમોશનનો લાભ આપવામાં આવે. યુનિ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે ત્યારે તેમની ફી માફ કરવામાં આવે અથવા તો ફી ઓછી કરવામાં આવે તેવી રજુઆત આવેદન પત્રમાં કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

કેન્દ્રિય સંસ્થાઓમાં બે લાખ સીટ વધારી દેવા માટે તૈયારી

aapnugujarat

देश के ३७ प्रतिशत स्कूलों में अभी भी बिजली कनेक्शन नहीं

aapnugujarat

राज्य में नई २४६ स्कूलों मंजूरी देने बोर्ड का निर्णय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1