Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વૃક્ષો વાવો અને વરસાદ લાવો. આ એક સૂત્ર છે પણ ખરેખર આ સૂત્રને સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે. વૃક્ષારોપણ માત્ર વૃક્ષ વાવીને ના કરવું જોઈએ પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો એ ખુબ મહત્વનું છે તો જ વૃક્ષો વાવો અને વરસાદ લાવો એ સૂત્ર ખરેખર સાર્થક માનવામાં આવશે. વિશ્વમાં દિનપ્રતિદિન વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. દિયોદર ખાતે આવેલ નાઈ સમાજની વાડીમાં દિયોદર લીંબચ યુવા સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર લીંબચ યુવા સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા. સંગઠનના સભ્ય દિનેશ નાઈએ જણાવ્યું હતું કે દિયોદર નાઈ સમાજની વાડીમાં આજે સેનજી મહારાજના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવન પૂર્ણ થયા બાદ લીંબચ યુવા સંગઠન દિયોદર ના સભ્યો સાથે મળી વૃક્ષોનું વાવેતર કરવામાં કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

નર્મદા ડેમની ડાબા-જમણા કાંઠા તરફના ગામોમાં પીવાના પાણી માટે જૂથ પાણી પૂરવઠા યોજનાની શક્યતા તપાસવા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાનો આદેશ

aapnugujarat

ઉદ્યોગમાં ઇ-વે બિલ અમલ મુદ્દે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે : અમદાવાદમાં જીએસટી, ઇ-વે બિલ પર પોસ્ટ બજેટ સેમિનાર થયો

aapnugujarat

એડવોકેટ વેલ્ફેર ફંડ રિન્યુઅલ ફી પ્રશ્ને ફેરવિચારણાની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1