ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં યોગેશ બારૈયા નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રેમમાં નડતરરૂપ યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી ચાર યુવાનોએ એક સંપ કરી તેના પર તૂટી પડ્યા હતા. યોગેશ બારૈયા તેના ઘર નજીક ઉભો હતો ત્યારે અચાનક આવી ચડેલા ચારે યુવાનોએ તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત યોગેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે યુવકની માતાએ ચાર યુવાનો વિરુદ્ધ પુત્રની હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી જેલ હવાલે કરી દીધા છે.
ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં રહેતા યુવાન યોગેશ બારૈયાને તેની માતા અને મિત્ર સોહિલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ ગઈ હતી. જેથી સોહિલ સાથે તેને અગાઉ ઝઘડો થયો હતો. તે ઝઘડાની દાઝ રાખી અને પ્રેમમાં નડતરરૂપ મિત્રનું કાસળ કાઢી નાખવા સોહિલ એ પ્લાન બનાવ્યો હતો જેમાં તેણે તેના અન્ય ત્રણ મિત્રોની પણ મદદ લીધી હતી, જેથી તેઓ ચારેય યુવાનો તારીખ ૭ ઓગસ્ટના દિવસે રાત્રે ૯ વાગે તેના ઘર નજીક ગયા હતા, ત્યારે યોગેશ બારૈયા તેના ઘર પાસે ઉભો હતો, જેથી તેની સાથે ઝઘડો કરી યોગેશ કાઈ સમજે એ પહેલાં ચારેય યુવાનો તેના પર તૂટી પડ્યા હતા અને સાથે લાવેલા તીક્ષ્ણ હથિયારોના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા યોગેશ ત્યાંજ ફસડાઈ પડ્યો હતો.
જ્યારે ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે ગંભીર રીતે ઘવાયેલા યોગેશને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુન્હો દાખલ કરી કોર્ટમાં રજૂ કરતા ચારેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
આગળની પોસ્ટ