દેશમાં રામ મંદિર ભૂમિપૂજનને લઇને તહેવાર જેવો માહોલ છે. બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓને વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન ટીવી શો ‘રામાયણ’ના રામ અને સીતાએ પણ પોસ્ટ કરીને પોતાની ભાવના જણાવી છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
રામાયણમાં રામનું પત્ર ભજવનારા અરુણ ગોવિલે ભગવાન રામના મંદિરના શિલાન્યાસ અને ભૂમિ પૂજનને લઇને ટ્વીટમાં લખ્યું કે, ‘ભગવાન શ્રીરામના શિલાન્યાસની રાહ સમગ્ર લોકો કરી રહ્યા છે. અયોધ્યામાં ભૂમિ પૂજનની સાથે એક દિવ્ય યુગનો શુભારંભ થઇ જશે. દરેક રામ ભક્તોને મારી કોટિ કોટિ નમન. તમારા બધાના મહાન પ્રયત્નોથી આ દિવસ જોવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. જય શ્રીરામ.’
રામાયણમાં સીતાનો રોલ પ્લે કરનાર દીપિકા ચિખલિયાએ પણ રામમંદિર અને ભૂમિપૂજન પર ગઈકાલે પોતાની ખુશી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યું કે, ‘કાલે રામ જન્મ ભૂમિ પર મંદિરનો શિલાન્યાસ થશે. આખરે લાંબા સમયની રાહનો અંત આવ્યો. રામલ્લા ઘરે પરત આવી રહ્યા છે. તેનો એકદમ અદ્દભૂત અનુભવ થવાનો છે. એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે દિવાળી જલ્દી આવી ગઈ. આ બધું વિચારીને હું ભાવુક થઇ રહી છું. આવતીકાલની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છું.’