Aapnu Gujarat
બિઝનેસ

એફપીઆઈ દ્વારા જૂન માસમાં ૪ અબજ ડોલરનું મૂડીરોકાણ

વિદેશી રોકાણકારોએ ભારતીય મુડીબજારમાં જંગી નાણાં ઠાલવી દેવાની પ્રક્રિયા જારી રાખી છે. મોટા ભાગની વસ્તુઓ અને સર્વિસ માટે જીએસટીના રેટ નક્કી કરી દેવામાં આવ્યા બાદ અને સામાન્ય મોનસુનની આગાહી કરવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો આશાસ્પદ દેખાઇ રહ્યા છે. વિદેશી રોકાણકારોએ આ પરિબળો વચ્ચે વચ્ચે હજુ સુધી આ મહિનામાં ભારતીય મુડી બજારમાં ચાર અબજ ડોલરની રકમ ઠાલવી દીધી છે. વિદેશી રોકાણકારો દ્વારા ડેબ્ટ માર્કેટમાં વધારે નાણાં ઠાલવી દેવામાં આવ્યા છે. નવેસરના આંકડા મુજબ એફપીઆઇ દ્વારા પહેલીથી ૨૩મી જુન વચ્ચેના ગાળા દરમિયાન ઇક્વિટીમાં ૩૨૮૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. જ્યારે વિદેશી રોકાણકારોએ ડેબ્ટ માર્કેટમાં સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ૨૨૫૦૮ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. જેથી નેટ ઇનફ્લોનો આંકડો ૨૫૭૯૧કરોડ રૂપિયા અથવા તો ચાર અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. નવેસરના પ્રવાહની સાથે જ મુડી માર્કેટમાં કુલ રોકાણનો આંકડો આ વર્ષે ૧.૪૪ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત સહિત કેટલાક પરિબળના કારણે તેજી રહી છે. છેલ્લા ચાર મહિના (ફેબ્રુઆરી-મે)માં ૧.૩૩ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ રકમ ઠાલવી દેવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી રેટના દર નક્કી કરવામાં આવ્યા બાદ નવી આશા જાગી છે. જીએસટી કાઉન્સિલની બેેઠકમાં હાલમાં જ દરો નક્કી કરવામાં આવ્યા હતા. પહેલી જુલાઈથી ઐતિહાસિક જીએસટી વ્યવસ્થા અમલી બનાનાર છે. મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે.બીજી બાજુ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપની જીત સહિત કેટલાક હકારાત્મક પરીબળો વચ્ચે ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો. આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા. ઉત્તરપ્રદેશ ચૂંટણી સહિત પાંચ રાજ્યોમાં થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો હાલમાં અતિઉત્સાહિત દેખાઈ રહ્યા હતા અને મૂડી બજારમાં જંગી નાણા ઠાલવી રહ્યા હતા. ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર ઉલ્લેખનીય પ્રવાહ જોવા મળી રહ્યો હતો.
મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં એનડીએની અભૂતપૂર્વ જીત થયા બાદ સરકાર વધુ કઠોર અને સાહસી સુધારાવાદી નીતિ સાથે આગળ વધશે. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

Related posts

વિજય માલ્યાને અપરાધી જાહેર કરવાની માંગની સાથે અરજી

aapnugujarat

विशाल सिक्का ने इन्फोसिस के सीईओ पद से दिया इस्तीफा

aapnugujarat

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૨૧ હજાર લોકો દ્વારા ૪૯૦૦ કરોડની બ્લેકમની જાહેર કરાઈ : આઈટી અધિકારીનો ઘટસ્ફોટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1