સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારના આદેશ મુજબ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા જિલ્લામાં શ્રાવણ માસમાં યોજાતા મેળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં જગપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં યોજાતો તરણેતરનો ભાતીગળ મેળો પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમજ વઢવાણ, ધાંગધ્રા, થાનગઢ, સુરેન્દ્રનગર વગેરે મેળાઓ યોજાશે નહીં, સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસોનું મીટર ૬૬૩ ને પાર કરી ગયું છે તેમજ જિલ્લામાં ૩૦થી વધારે મૃત્યુ થયા છે તેમજ ૨૫૦ લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.
(અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)
પાછલી પોસ્ટ