આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ રાજ્યના કોરોનાવાયરસ પીડિત લોકોના અંતિમ સંસ્કાર માટે 15,000 રૂપિયાની સહાય જાહેર કરી છે.
કોવિડ -19 નિયંત્રણના પગલાઓની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ નિવારક પગલાંની ગુણવત્તામાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે દરેક કવોરંટાઇન સેન્ટર પર ફરિયાદો માટે કોલ સેન્ટર નંબર દર્શાવવો જોઈએ અને અધિકારીઓએ નિયમિત પ્રતિસાદ લેવો જોઈએ. મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના પણ આપી હતી કે, કવોરંટાઇન સેન્ટરમાં ગુણાત્મક સેવાઓ પૂરી પાડવા માટે એક અઠવાડિયાની વિશેષ ઝુંબેશ હાથ ધરવી અને ફરિયાદો માટે કોલ સેન્ટર નંબર દર્શાવવો જોઈએ.