કોરોનાનો કહેર ટીવી અને બોલિવુડ કલાકારોને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે.. એકતા કપૂરની સિરિયલ “કસૌટી ઝીંદગી કે”માં અનુરાગ બાસુનો રોલ પ્લે કરનાર પાર્થ સમથાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેનો ટેસ્ટ રવિવારે પોઝિટિવ આવ્યો ત્યાં સુધી તે શૂટિંગ કરતો હતો. ત્યારબાદ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. સેટ પર પાર્થ સાથે અંદાજે અન્ય 30 લોકો પણ હાજર હતા. તે તમામને કોરોના ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આ શોમાં મિસ્ટર બજાજનો રોલ પ્લે કરનાર કરણ પટેલ પોતાનો અને પરિવારનો કોરોના ટેસ્ટ કરાવશે
કરણ છેલ્લા ઘણા દિવસોથી શૂટિંગ પર જતા ન હતા પણ તેઓ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે જેથી તેની આસપાસના લોકોને કોઈ જોખમ ન રહે. તેના પરિવારના સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે જેથી કોઈપણ બેદરકારીને કારણે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હાલ કરણ એકદમ સ્વસ્થ છે..
સિરિયલમાં કરણ પટેલને મિસ્ટર બજાજના રોલ માટે સાઈન કરવામાં આવ્યો છે. તેણે શોમાં કરણ સિંહ ગ્રોવરને રિપ્લેસ કર્યો છે. કરણ સિંહ ગ્રોવરે થોડા મહિના પહેલાં જ શોને અલવિદા કહ્યું હતું. એકતા કપૂરના કહેવા પર કરણ પટેલ આ શો માટે તૈયાર થયો હતો. એકતાએ ખુદ મિસ્ટર બજાજનો લુક ફાઇનલ કર્યો હતો. કરણે ગયા અઠવાડિયે જ શોનું શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ પાર્થનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શોનું શૂટિંગ અટકાવી દેવાયું હતું. એકતા કપૂરે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, અમારી પહેલી પ્રાયોરિટી અમારા ટેલેન્ટ, પ્રોડક્શન ક્રૂ અને કર્મચારીઓને મદદ અને પ્રોટેક્ટ કરવાની છે.