Aapnu Gujarat
Uncategorized

કોરોનાની મહામારી વચ્ચે CM વિજય રૂપાણી અને તેમના પત્નિ સોમનાથ મહાદેવ પહોંચ્યા

કોરોનાની મહામારી વચ્ચે આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેને સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા અને શિશ ઝૂકાવ્યું હતું. મહાદેવના જળાભિષેક સાથે તેઓએ તત્કાલ મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતને કોરોના મહામારીના સંકટમાંથી બહાર કાઢવા પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ પણ જોડાયા હતા.

મુખ્યમંત્રીના દર્શન પહેલા સોમનાથ મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. તેમજ કોરોનાને પગલે તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. તેમજ આ પહેલા મુખ્યમંત્રીએ અંબાજી મંદિરમાં પણ દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરની સુરક્ષામાં રહેતા લાઈઝનિંગ પોલીસકર્મીનો કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની મુલાકાત પહેલા જ પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેના બાદ સોમનાથ મંદિર સુરક્ષા કર્મીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના કર્મીઓની તબીબી ચકાસણી હાથ ધરાઈ હતી.

Related posts

મોરબી જિલ્‍લામાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા આપતી રેસીડેન્‍ટ હોસ્‍ટેલમાં નાઇટવીઝન સીસી ટી.વી કેમેરા લગાવવા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટનું ફરમાન

aapnugujarat

સરદારની પ્રતિમા બની શકે તો રામ મંદિર કેમ નહીં : આરએસએસ

aapnugujarat

પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ૧૮ ફેબ્રુઆરી સુધી રદ્દ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1