Aapnu Gujarat
મનોરંજન

હવે કરણ પટેલ મી.બજાજની ભૂમિકામાં જોવા મળશે

અભિનેતા કરણ પટેલ ‘કસૌટી જિંદગી કી’માં નવા મી.બજાજની ભૂમિકામાં જોવા મળશે. આ શોમાં તે મહત્વ નો ભાગ છે કારણ કે તે 2001 થી 2008 દરમિયાન પ્રસારિત ‘કસૌટી જિંદગી કી’નો એક ભાગ હતા. મૂળ શોમાં, રોનિત રોય શ્રી બજાજ તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા. કરણે કહ્યું કે, હું મી. બજાજના રોલ માટે ખૂબ જ ઉત્સુક છું. અમે આવતા અઠવાડિયે શૂટિંગ શરૂ કરી રહ્યા છીએ.તેમાં ખૂબ જ મજા આવવાની છે, કારણ કે 3 મહિના પછી બધા શૂટિંગમાં પરત આવી રહ્યા છે. સૌથી સારી વાત એ છે કે હું મી.બજાજની ભૂમિકા નિભાવી રહ્યો છું. ” કરણ પટેલે અભિનેતા કરણસિંહ ગ્રોવરની જગ્યા લીધી, જેમણે નવા ‘કસૌટી જિંદગી કી’ શો માં મી.બજાજની ભૂમિકા ભજવી હતી.

Related posts

हम दोनों के बीच अफेयर की संभावना जीरो प्रतिशत है : निधि

aapnugujarat

સુભાષ ઘાઇ પર મહિમા ચૌધરીએ લગાવ્યા ગંભીર આરોપ

editor

સલમાન-કેટરીનાની ફિલ્મ ડિસેમ્બરમાં રજૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1