અભિનેતા કરણ પટેલ ‘કસૌટી જિંદગી કી’માં નવા મી.બજાજની ભૂમિકામાં જોવા મળશે. આ શોમાં તે મહત્વ નો ભાગ છે કારણ કે તે 2001 થી 2008 દરમિયાન પ્રસારિત ‘કસૌટી જિંદગી કી’નો એક ભાગ હતા. મૂળ શોમાં, રોનિત રોય શ્રી બજાજ તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા. કરણે કહ્યું કે, હું મી. બજાજના રોલ માટે ખૂબ જ ઉત્સુક છું. અમે આવતા અઠવાડિયે શૂટિંગ શરૂ કરી રહ્યા છીએ.તેમાં ખૂબ જ મજા આવવાની છે, કારણ કે 3 મહિના પછી બધા શૂટિંગમાં પરત આવી રહ્યા છે. સૌથી સારી વાત એ છે કે હું મી.બજાજની ભૂમિકા નિભાવી રહ્યો છું. ” કરણ પટેલે અભિનેતા કરણસિંહ ગ્રોવરની જગ્યા લીધી, જેમણે નવા ‘કસૌટી જિંદગી કી’ શો માં મી.બજાજની ભૂમિકા ભજવી હતી.
પાછલી પોસ્ટ