કોઈપણ શાળામાં શિક્ષક વય નિવૃત્ત થતાં વિદાય સભારંભ ગોઠવવામાં આવતો હોય છે અને શાળાના શિક્ષકને સન્માન આપી વિદાય આપવામાં આવતી હોય છે ત્યારે શિક્ષક પણ પોતાની ફરજ સમજી શાળાને દાન કરતા હોય છે. તાજેતરમાં દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે આવેલ શ્રી એસ આર મહેતા ઉ.બુ. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા દેસાઈ ધીરજીભાઈ સરતાનભાઈ (ઉંઝાવાળા) વયનિવૃત્ત થતા શાળાને ૫૧૦૦૦/- રૂપિયાઉનું દાન કર્યું હતું. જોકે શાળામાં પોતાના પિતાજીની તસવીર આપી ૫૧૦૦૦/- નું દાન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દેવજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ધીરજીભાઈએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. દાન આપવા બદલ તેમનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. ધીરજીભાઈનું બાકીનું જીવન સુખમય આનંદમય નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.જોકે ધીરજીભાઈ અહીં ૩૪ વર્ષ ફરજ અદા કરી છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ