છોટાઉદેપુર જિલ્લાનાં જેતપુરપાવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ તેવા સમયે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને પડેલ મુસિબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર માર્ચ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ સુધી ઘરવેરો અને પાંણી વેરો તેમજ ધિરાણની લોન ભરપાઇ કરવામાં સમય વધારો કરવામાં આવે અને વિધાર્થીઓના સ્કુલની ફિ માફ કરવામાં આવે અથવા સરકાર તે ફિ ભરે તે માંગ સાથે આજરોજ પાવીજેતપુર તાલુકા પ્રમુખ નવલસિંગ રાઠવા,કાજલ રાઠવા, વિષ્ણુ રાઠવા અને વકીલ લલિતચંદ્ર રોહિત ની આગેવાની હેઠળ જેતપુરપાવી મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ઇમરાન સિંધી..પાવીજેતપુર