Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરમાં આખલાએ હુમલો કરતા એક વ્યક્તિનું કરૂણ મોત

પાવીજેતપુરમાં આખલાએ હુમલો કરતા એક વ્યક્તિનું કરૂણ મોત

     પાવીજેતપુર સનરાઈઝ  સ્કૂલ પાસેથી પસાર થતા એક વ્યક્તિને બે આખલાઓ લડતા હતા તેમની અડફેટમાં આવી જતા  ઘટનાસ્થળે જ કરુણ મોત થવા પામ્યું હતું.
      પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસથી પાવીજેતપુરમાં બે આખલાઓનો આંતક ખૂબ વધી જાવા પામ્યો છે. આજરોજ મોડીસાંજે સનરાઈઝ પાસે આવેલા ખેતરમાંથી દિલીપભાઈ વાળંદ ( ડી.કે. )  પસાર થતા હતા ત્યારે બે આખલા સામસામે લડતા હતા તેમાંથી એક અખલા એ એકાએક હુમલો કરી દેતા ઉચકીને ફંગોળી દીધા હતા. તેમને પગમાં અને શરીર માં ભીતર વાગતા ઘટના સ્થળે જ કરુણ મોત થવા પામ્યું હતું.છતાં 108ને બોલાવી પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા.જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
      જાણવા મળતી માહિતી મુજબ આ આખલાઓએ સવારે એપીએમસીમાં ચાલતા શાકમાર્કેટમાં પણ કેટલાક ઇસમો ઉપર હુમલો કર્યો હતો. પરંતુ આ આખલાને જોઈને લોકો ભાગી ગયા હતા.
      આ આખલાઓ થોડાક દિવસ અગાઉ પાવીજેતપુર બજારની મસ્જિદની સામે લડાતાં હતા ત્યારે ત્યાંથી પસાર થતી  એક મહિલા તેમજ તેમની નાની પુત્રી  ઉપર હુમલો કરી  બંને મા-દીકરી ઓને શિંગડા ઉપર ઉચકી દૂર ફંગોળી દીધા હતા. મહિલાના મોઢામાં ભયંકર રીતે વાગ્યું હતું જ્યારે છોકરી નો આબાદ બચાવ થયો હતો.
     આમ, પાવીજેતપુરના બંને આખલા નો આંતક ખૂબ વધી જવા પામ્યો છે .જેનાથી આજરોજ એક ૫૨ વર્ષના વ્યક્તિનું મોત થયું છે. ત્યારે આ બંને માતેલા સાંઢ બની ગયેલા આખલાઓને ઝબ્બે કરી યોગ્ય જગ્યા પર છોડવામાં આવે તેવી જનતાની માંગ ઉઠી છે.

ઇમરાન સિંધી….પાવીજેતપુર

Related posts

રસ્તાના કામ પૂર્ણ ન કરનાર કોન્ટ્રાકટરને નોટિસ અપાશે

aapnugujarat

कांग्रेस उम्मीदवार की पसंदगी प्रक्रिया अक्टूबर तक पूरी होगी

aapnugujarat

ગુજરાતની ૨૬માંથી ૧૩ બેઠકો જીતવા કોંગ્રેસ લગાવશે એડીચોટીનું જોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1