મહેસાણા જોડે પાલોદર ગ્રામ ચોસઠ જોગણી માતા નું મંદિર આવ્યુ છે. ત્યારે ત્યાં દર વર્ષે ની જેમ પરંપરાગત રિતે જોગણી માતા નો મેળો 20/3/2020 થી 21/3/2020 ના રોજ યોજવાનો હતો તે કોરોનો વાયરસ ને સાવચેતી ના પગલા રૂપે મેળો રદ કરવામાં આવેલ છે. માતાજી ના મેળા ને લઈ ને ગ્રામ માં તમામ પ્રકાર ની મેળા ની દૂકાનો અને ચકડોળ, નાસ્તા માટે ની લારીઓ, પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.
પાલોદર ગ્રામજનો અને આજુ બાજુના ના તમામ ભાવિભક્તો મંદિર ના દર્શન નો લાભ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. જેથી કરીને માતાજી ના દર્શન કરી શકે. જોગણી માતા ના મેળા નો નિણર્ય સમગ્ર પાલોદર ગ્રામ પંચાયત દ્વારા લેવા માં આવ્યો છે.
આપણું ગુજરાત ન્યૂઝ – કડી
જૈમિન સથવારા
પાછલી પોસ્ટ