અમદાવાદ જીલ્લાના શ્રી કેળવણી મંડળ વિરમગામ સંચાલિત જાણીતી શૈક્ષણિક સંસ્થા કે બી શાહ વિનયમંદિરના ધોરણ ૧૦ અને૧૨ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આગામી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સારા પરિણામ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છા સમારોહમાં વિરમગામના પત્રકારોને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. શુભેચ્છા સમારોહ કાર્યક્રમમાં કમીજલા ભાણ સાહેબની જગ્યાના મહંત પૂજ્ય જાનકીદાસ બાપુ, કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રશાંત જોષી, વિરમગામ નગરપાલિકાના કાઉન્સીલર નિલેશ ચૌહાણ તથા દિપા ઠક્કર, વિરમગામ શહેર ભાજપ મહામંત્રી હિતેશ મુનસરા, શાળાના આચાર્ય અલ્કેશ દવે, તેજસ વજાણી સહિત વિધાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને ભયમુક્ત બનીને બોર્ડની પરીક્ષા આપવા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શુભેચ્છા સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો અને સારૂ પરિણામ મેળવનારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)