બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સુદ્રોસણ ગામની પ્રાથમિક શાળામાં ટિ્વનિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં ભદ્રેવાડી પ્રા. શાળાના બાળકો અને આચાર્ય તથા શિક્ષક ગણ દ્વારા શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ નિહાળવામાં આવી તેમજ શાળામાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યો હતો. ધાર્મિક સ્થળ અને સોનપીર દાદાથી પ્રખ્યાત પીર કે જેઓના અનેક ચમત્કારો થયેલા છે તે સોનપીર દાદાના દર્શન પણ કર્યાં હતાં. આ પ્રસંગે ગામના દાતાશ્રીઓ ભરવાડ કનુભાઈ માલાભાઈ, ભરવાડ જામાભાઈ, સેંધાભાઈ ભરવાડ, નથુભાઈ, સકતાભાઈ તરફથી ભોજન જમાડવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- મહંમદ ઉકાણી, કાંકરેજ, બનાસકાંઠા)