Aapnu Gujarat
ગુજરાત

વાહકજન્ય રોગ નિયંત્રણ માટે અમદાવાદ જીલ્લામાં રાત્રિ સભાઓ શરૂ કરવામાં આવી

મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અન્વયે વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે વર્ષ-૨૦૧૯ દરમ્યાન જે વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયાના કેસો નોંધાયેલ હોય તેમજ અર્બન વિસ્તાર, પેરીફેરી વિસ્તારમાં જનજાગૃતિ માટે રાત્રિ સભાઓ શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા રાત્રિ સભામાં ગ્રામજનોને પોરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન, મેલેરીયાથી બચવાના ઉપાયો નિદાન સારવાર સહિતની માહિતી આપવામાં આવી રહી છે.
વિરમગામ તાલુકામાં રાત્રિ સભાઓને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકિયા, કે એસ ઠાકોર, બી એફ સાપરા, જયેશ પાવરા, વી એ સાપરા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા મેડીકલ ઓફિસર સહિત આરોગ્ય કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ માટે ફરજના સમય દરમ્યાન જનજાગૃતિ કરીને લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. પરંતુ દિવસ દરમ્યાન અનેક લોકો કામ ધંધા અર્થે બહાર ગયેલા હોવાથી તેઓ વંચીત રહી જાય છે જેથી રાત્રિ દરમ્યાન મોટાભાગના લોકો ઘરે હોય અને મહત્તમ લોકો સુધી વાહકજન્ય રોગ નિયંત્રણની સચોટ માહિતી પહોંચાડી શકાય તે માટે વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં રાત્રિ સભાઓ શરૂ કરવામાં આવી છે.
રાત્રિ સભામાં અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા મેલેરીયા થવાના કારણો, મેલેરિયાથી બચવાના ઉપાયો, મેલેરિયાનું નિદાન તથા સારવાર, પોરા નિદર્શન, ૧૦૪ ફિવર હેલ્પ લાઇન સહિતની જરૂરી તમામ માહિતીઓ આપવામાં આવી રહી છે. રાત્રિ સભાઓમાં જીલ્લા અને તાલુકાની ટીમ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ કર્મચારીઓ સહિત ગ્રામજનો જોડાઇ રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

अल्पेश ठाकोर की बढ़ी मुश्किले, राजेंद्र त्रिवेदी सहित तमाम को हाईकोर्ट ने भेजा नोटिस

aapnugujarat

મથુરામાં છઠ્ઠો મોહન રંગ મહોત્સવ યોજાયો

aapnugujarat

રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથીરિયાની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1