વિરમગામ શહેરમાં ચોમાસા પહેલાં નગરપાલિકાના દ્વારા પ્રિમોન્સુન પ્લાન અંગે વરસાદી ગટરનું કામમાં બેદરકારી રાખતાં લોક ફરિયાદ ઉઠી છે. વિરમગામ શહેરમાં ચોમાસામાં સામાન્ય વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જાય છે જેનું મુખ્ય કારણ એ છે કે દર વર્ષે વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાનનું કાર્ય દ્વારા વિરમગામ શહેરની આશરે ૨ થી ૩ કિ.મી સુધીની વરસાદી પાણી નિકાલ માટેની વરસાદી ગટરની સફાઇ હાથ ઘરવામા આવે છે જે આ વર્ષે આ પ્રિમોન્સુન પ્લાનનું કાર્ય અધધ બેદરકારીભર્યું થયું હોવાનું વિરમગામ શહેરના નાગરિકો અને વેપારીઓ જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેર-તાલુકામાં સામન્ય વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં છાશવારે વરસાદી પાણી ભરાઇ જાય છે. વિરમગામ ગોલવાડી દરવાજા બહાર અવાડા પાસે આવેલા તિરૂપતિ કોમ્પલેક્ષમાં ઢીંચણસમા પાણી ભરાય છે ત્યારે આ વર્ષે પણ વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાન અંગે વરસાદી ગટરની સફાઈ હાથ તો ઘરી છે પરંતુ અનેક વરસાદી ગટરમાં ઠેરઠેર ગંદકી અને કાદવકીચડના થર જામ્યા છે તેની હજુ પણ સફાઇ હાથ ઘરવામાં આવી નથી જેથી આ વરસાદી ગટરની સફાઈ યોગ્ય રીતે સાફ કરવામાં આવે તો ચોમાસામાં વરસાદી પાણી ભરાવાાં પ્રશ્નનું નિરાકરણ થાય તેમ છે.
આગળની પોસ્ટ