આજે સોમનાથ મંદિરની બહાર ૧૨૦ જેટલા ફોટોગ્રાફરો ધરણા પર બેઠા હતાં. અવારનવાર સોમનાથ ટ્રસ્ટ તથા પોલીસ તંત્ર દ્વારા તેમને કનડગત કરવામાં આવતી હોવાની વાત પ્રકાશમાં આવી છે. ગઇકાલે કોઇ ફોટોગ્રાફર પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો તેમના સમર્થનમાં આજે ફોટોગ્રાફરોએ મંદિરના સાંનિધ્યમાં ન્યાયની અપેક્ષા સાથે ધરણા પર બેઠા છે. ફોટોગ્રાફરોની માંગ છેકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમને કોઇ આઇકાર્ડ આપવામાં નથી આવતું, વીઆઇપીઓ આવે છે ત્યારે ફોટોગ્રાફી બંધ કરાવવામાં આવે છે, અવારનવાર કનડગત કરવામાં આવે છે આવી અનેક સમસ્યાઓથી ફોટોગ્રાફર પીડાઇ રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)