લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર લવાણામાં બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ શોધી બહાર લાવવા માટે પ્રતિભા ખોજ કાર્યક્રમ અંતર્ગત મહેંદી સ્પર્ધા, રંગોલી સ્પર્ધા, કેશગૂથન સ્પર્ધા, સર્જનાત્મક અભિવ્યક્તિ સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૦થી વધુ બાળકોએ ભાગ લઈ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી. ભાગ લીધેલ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તેવું શાળાના આચાર્ય શ્રી દિલીપસિંહ સોઢાએ બાળકોને અભિનંદન આપ્યા હતા.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)