શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળા નાની કડીમાં બીજા સત્રની શરૂઆત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. જોગાનુજોગ બીજા સત્રના પ્રથમ દિવસે ૧૪ નવેમ્બર ‘‘બાળ દિવસ’’ હોવાથી આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો જન્મદિવસ એટલે બાળ દિવસ શાળાના બાળકોએ આનંદ કિલ્લોલ કાર્યક્રમ રજૂ કરી પોતાનામાં રહેલી શૈક્ષણિક અને સાંસ્કૃતિક કલા શક્તિના દર્શન કરાવ્યા હતાં. શાળાના આચાર્ય ખોડાભાઈ પટેલે બાલ દિવસનું મહત્વ સમજાવી પંડિત જવાહરલાલ નેહરુનો રાષ્ટ્રપ્રેમ તથા બાળકો પ્રત્યેનો પ્રેમ આ વિષય પર બાળકોને સમજણ આપી હતી.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)
પાછલી પોસ્ટ