બનાસકાંઠા જિલ્લાની થરાદ, વાવ, સુઈ ગામની માઇનોર કેનાલમાં આજે વાવ તાલુકાનાં દૈયપ ગામની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં જેથી ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતાં. નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીના લીધે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)
પાછલી પોસ્ટ