ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, રાજકોટ મનપાના સ્ટૅન્ડિંગ કમિટિ ચેરમેન નિતિન ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ભક્તો દીપપૂજનમાં જોડાયા હતાં, ત્યારબાદ મહાપૂજન અને રાત્રે મહાઆરતી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવને શ્રૃંગારમાં ખાસ પાઘડી પહેરાવવામાં આવી હતી જેમના અલૌકિક દર્શનથી ભક્તો ધન્ય બન્યા હતા. મંદિરમાં ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠેલ હતો.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)