Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ રાષ્ટ્રપતિ ચૂંટણી સંદર્ભે શુક્રવારે સોનિયા ગાંધીને મળશે

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને એકબાજુ જાહેરનામુ જારી કરવામાં આવી ચુક્યું છે ત્યારે આને લઇને ભાજપના વરિષ્ઠ નેતાઓ શુક્રવારના દિવસે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે વાતચીત કરનાર છે. પારસ્પરિક રીતે સ્વીકાર્ય રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને શોધી કાઢવાની કવાયત શરૂ થઇ ચુકી છે. ભાજપની ત્રણ સભ્યોની કમિટિ શુક્રવારના દિવસે સોનિયા ગાંધીને મળશે. ભાજપ પેનલ સીપીઆઈના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીને પણ મળશે. કમિટિમાં ત્રણ સભ્યો રાજનાથસિંહ, વેંકૈયા નાયડુ અને અરુણ જેટલી છે. ૧૨મી જૂનના દિવસે ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા આ પેનલની રચના કરાઈ હતી. નાયડુએ આજે બહુજન સમાજ પાર્ટીના નેતા સતીષચંદ્ર મિશ્રા અને એનસીપીના નેતા પ્રફુલ પટેલ સાથે વાત કરી હતી. નાયડુએ કહ્યું હતું કે, બંને પાર્ટીઓ હાલમાં મક્કમ છે. ભાજપ દ્વારા વિધિવતરીતે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા બાદ આ અંગે વલણ સ્પષ્ટ થશે. અગાઉ રાજનાથસિંહ અને નાયડુ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. ૨૮મી જૂન સુધી ઉમેદવારીપત્રોની પ્રક્રિયા જારી રહેશે. બીજી બાજુ વિરોધ પક્ષના નેતાઓએ આજે બપોરે બેઠક યોજી હતી જેમાં સંયુક્ત વ્યૂહરચના ઉપર ચર્ચા થઇ હતી. વિપક્ષની ૧૦ સભ્યોની સબગ્રુપની બેઠક પ્રથમ વખત મળી હતી. વિરોધ પક્ષો પસંદગીના ઉમેદવારને લઇને ચર્ચા કરી રહ્યા છે. જો રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. એનડીએ અને વિપક્ષ પોતાના ઉમેદવારને ઉતારશે તો પરિણામ ૨૦મી જૂલાઈએ જાહેર થશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે ૭મી જૂનના દિવસે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરી દીધી હતી. ચૂંટણી કાર્યક્રમ મુજબ અરજી દાખલ કરવાની અંતિમ તારીખ ૨૮મી જૂન રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા ૨૯મી જૂનના દિવસે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પરત ખેંચવા માટેની અંતિમ તારીખ પહેલી જુલાઈ રહેશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચૂંટણી જરૂર પડશે તો ૧૭મી જુલાઈના દિવસે થશે. મતગણતરીની પ્રક્રિયા ૨૦મી જુલાઈના દિવસે હાથ ધરાશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન માટેનો સમય નક્કી કરવામાં આવી ચુક્યો છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ખાસ ચૂંટણી પેનનો ઉપયોગ કરવામાં આવશે. બીજા પેનનો ઉપયોગ કરવાની સ્થિતિમાં મતને ગેરકાયદે ગણવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા આ પેન ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની ટીમની તાકાત વધારે દેખાઈ રહી છે જ્યારે વિપક્ષની તાકાત ઓછી દેખાઈ રહી છે. વોટ શેયરના મામલામાં એનડીએ કોંગ્રેસના નેતૃત્વની સરખામણીમાં ૧૫ ટકા લીડ ધરાવે છે. વર્તમાન રાજકીયસમીકરણોના આધાર પર જોવામાં આવે તો આ મૂલ્યાંકન યોગ્ય દેખાય છે. એનડીએની પાસે રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે સંબંધિત ઇલેક્ટોરલ કોલેજમાં આશરે ૪૮.૬૪ ટકા મત છે જ્યારે રાજ્યો અથવા કેન્દ્રોમાં રાજકીય સમીકરણોના આધાર પર કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષ પાસે ૨૩ રાજકીય પક્ષોની વોટ શેયરની હિસ્સેદારી ૩૫.૪૭ ટકા છે. વિપક્ષની ટીમ નબળી દેખાઈ રહી છે. વિપક્ષના ૩૫.૪૭ ટકાના મત હિસ્સાની તુલનામાં ભાજપની પાસે ઇલેક્ટોરલ કોલેજના ૪૦ ટકા મત છે.

Related posts

ખેડુતોને રોકડ ચુકવવા માટે ૭૦,૦૦૦ કરોડની યોજના

aapnugujarat

सिद्धू देश का नहीं बन सका तो कांग्रेस का कैसे बन सकता है : श्वेत मलिक

aapnugujarat

राबड़ी देवी का तंज – बिहार में अब नीतीश कुमार की नहीं चलती

editor

Leave a Comment

UA-96247877-1