૧૦૦થી વધુ દેશોમાં કાર્યરત ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિયેશન સાથે સંકળાયેલ ઓલ ઈન્ડિયા સીટીઝન વિજીલન્સ કમિટિના પ્રદેશ કક્ષાનો વર્કશોપ સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે યોજાઈ ગયો જેમાં ૧૨ જિલ્લાના ૬૫ જેટલા હોદ્દેદારો અને ચુનંદા કાર્યકર્તાઓએ ભાગ લીધો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. બી.એસ.જેસલપુરાએ (સંયુકત નિયામક , કમિશ્નરશ્રીની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) ભ્રષ્ટાચાર મુક્ત તંદુરસ્ત ભારત ભેળસેળ મુકત પ્લાસ્ટિક મુક્ત ભારત માટે શપથ લેવડાવ્યા હતાં. માનવ અધિકાર બંધારણીય મૌલિક અધિકારના રક્ષણ માટે માર્ગદર્શન આપી શપથ લેવડાવ્યા.
(તસવીર :- હિતેશ ગજ્જર, અમદાવાદ)