કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા તા.૧૦/૦૬/૨૦૧૭ના રોજ અમદાવાદના પ્રવાસે આવનાર છે. આ દરમિયાન તેઓ અમદાવાદના વિવિધ કાર્યક્મોમાં ઉપસ્થિત રહેશે.
સૌ પ્રથમ માન. મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા સાંજે ૧૭.૦૦ વાગે ભક્તિ સર્કલ, રીંગ રોડ, નિકોલ, અમદાવાદ ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ(નિકોલ-નરોડા રોડ) અમદાવાદ દ્વારા નિર્માણ પામી રહેલ “સમાજ ભવન“ના ભૂમિ પુજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, ભાવનગરના સંસદસભ્યશ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા, આધ્યસ્થાપકશ્રી મગનભાઇ રામાણી, સંસ્થાના પ્રમુખશ્રી દીનેશભાઇ કુંભાણી તથા અન્ય રાજસ્વી મહેમાનો ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા સાંજે ૧૯.૩૦ વાગે ડાયમંડ હોલ, રાજપથ ક્લબ, એસ.જી.હાઇવે, અમદાવાદ ખાતે ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા આયોજીત ૫૫ મી વાર્ષિક સભામાં ”GDMA AWARD PRESENTATION FUNCTION”માં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ઇમ્પોર્ટ-એક્ષપોર્ટ કરતાં નામાંકિત ઉદ્યોગપતિઓને ઇનામ વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેમેક્ષીલ મુંબઇના ચેરમેનશ્રી સતિષ વાઘ, સંસ્થાના પ્રમુખશ્રી ભૂપેન્દ્ર પટેલ, સેક્રટરીશ્રી હર્ષ ભુટા તથા અંદાજે ૪૦૦ થી ૫૦૦ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.