Aapnu Gujarat
રમતગમત

ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ વચ્ચે રોચક જંગ

ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે આજે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમાનાર છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની દરેક મેચમાં વરસાદ વિલન બનતા હજુ સુધી સ્પર્ધામાં મોટાભાગની મેચો સારીરીતે રમાઈ શકી નથી જેને લીધે આવતીકાલની મેચમાં પણ વરસાદ વિલન બને તેવી શક્યતા દેખાઈ રહી છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડની ટીમ ફેવરિટ તરીકે છે પરંતુ વરસાદને લઇને ભય પણ છે જેથી આ મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિને ધ્યાનમાં લેવી પડશે. આઈસીસીની બીજી સૌથી મોટી સ્પર્ધા તરીકે આને ગણવામાં આવે છે.ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યા છે. જ્યારે પ્રથમ વખત રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આફ્રિકાની ટીમ વિજેતા બની હતી. વર્ષ ૨૦૧૩માં છેલ્લા ભારતીય ટીમ વિજેતા થઈ હતી.પહેલી જુનના દિવસે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થયા બાદ ૧૮મી જુન સુધી મેચો ચાલનાર છે. આઇસીસી વનડે ચેમ્પિયનશીપ રેન્કિંગમાં ટોપ આઠમાં રહેલી ટીમો મેદાનમાં ઉતરી છે. બાંગ્લાદેૈશની ટીમ આ વખતે વેસ્ટ ઇન્ડિઝની જગ્યાએ રમી રહી છે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝ યાદીમાં નવમા ક્રમ પર છે. વર્ષ ૨૦૦૬ બાદથી બાગ્લાદેશની ટીમ પ્રથમ વખત પરત ફરી છે. જેથી તેના ખેલાડીઓ પણ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. હાલમાં જ માન્ચેસ્ટરમાં હુમલો કરવામાં આવ્યા બાદ મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષા પાસાની સમીક્ષા કરવામાં આવી ચુકી છે. દરેક ટીમને કેટલીક સુચના પણ આપવામાં આવી છે. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. જો કે આ વખતે ક્રિકેટ ચાહકો ભારે નિરાશ થયેલા છે. કારણ કે કોઇ મેચ સારી રીતે રમાઇ નથી.

Related posts

2nd Test: India created history to defeated South Africa by innings and 137 runs

aapnugujarat

बुमराह के प्रदर्शन पर सवाल उठाना सही नहीं : शमी

aapnugujarat

તમારા સંન્યાસથી ૧૩૦ કરોડ ભારતીયો નિરાશ : વડાપ્રધાનનો ધોનીને પત્ર

editor

Leave a Comment

UA-96247877-1