ખેલ રાજયમંત્રીએ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે સયાજીપુરા પ્રાથમિક શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન હેઠળ એસટીપી ટ્રાન્સપોર્ટ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સુવિધા હેઠળ શાળાથી ૩ કિમી જેટલા દૂરના અંતરે રહેતા ૩૦ જેટલાં ભૂલકાઓનું રીક્ષામાં વિનામૂલ્યે ઘરથી શાળા અને શાળાથી ઘર સુધી પરિવહન કરાશે. આ સેવા માટે સરકાર રીક્ષા ચાલકને બાળક દીઠ માસીક રૂ. ૩૦૦/– જેટલો પરિવહન ખર્ચ ચૂકવે છે.