Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરનાથ યાત્રામાં મેડિકલ સર્ટિફિકેટ અનિવાર્ય, ૧૩ વર્ષથી ઓછા અને ૭૫ વર્ષથી વધુને મંજુરી નહીં

જમ્મુ-કાશ્મીરના અમરનાથ મંદિરે દર્શન કરવા માટે જવા ઈચ્છતા લોકોએ મેડિકલ સર્ટિફીકેટ સુપરત કરવાની અનિવાર્યતાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરતા શ્રી અમરનાથજી સાઈન બોર્ડના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એ યાત્રામાં ૧૩ વર્ષથી ઓછી ઉંમરના અને ૭૫ વર્ષથી વધારે ઉંમરના યાત્રાળુઓ તેમ જ છ અઠવાડીયા કરતા વધારે સગર્ભા મહિલાઓ સામેલ નહી થઈ શકે. અમરનાથયાત્રા ૨૯ જૂને શરૂ થઈને ૭ ઓગષ્ટે પુરી થાય છે.
અમરનાથ ગુફાના શિવમંદિરે દર્શન માટે ૧૪,૦૦૦ ફુટની ઉંચાઈ સુધીના પ્રવાસ બાબતે બોર્ડે બહાર પાડેલી સૂચનાઓ પ્રમાણે ઘણી ઉંચાઈ પર પહોંચતા ચોક્કસ વ્યાધિઓ (હાઈ-ઓલ્ટિટયુડ સિકનેસ)નો સામનો કરતા લોકોને યાત્રામાં સામેલ થવા બાબતે સાવધાનીથી નિર્ણય લેવાની સલાહ આપવામાં આવી છે.
ભૂખ ન લાગવી, ઉબકા આવવા, ખૂબ થાક લાગવો વગેરે હાઈ-ઓલ્ટિટયુડ સિકનેસના લક્ષણો છે. એ લક્ષણોના ઉપચાર સમયસર કરવામાં ન આવે તો મૃત્યુની પણ શકયતા રહે છે. એ સંજોગોમાં દરેક યાત્રાળુએ પિલગ્રિમેજ પરમિટ મેળવવાની રહે છે. એ પરમિટ માટે એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે કમ્પલ્સરી હેલ્થ સર્ટીફીકેટ સુપરત કરવાનું રહે છે. એકાદ મહિના પહેલા રોજ ચારથી પાંચ કિ.મી. ચાલવાની કસરત અને યોગ-પ્રાણાયામનો અભ્યાસ શરૂ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. વિગતવાર સૂચનો બોર્ડની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

Related posts

बिना शर्त किसानों से बात करें प्रधानमंत्री : भगवंत

editor

યમનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓ ફસાયા

aapnugujarat

भारतीय इतिहास पर बोले उपराष्ट्रपति- लुटेरो को बताया गया महान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1