Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ મામલે લઈ શકે છે મોટો નિર્ણય, ગ્રાહકોને થશે લાભ

મોદી સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના વેચાણને લઈને મહત્વનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. મોદી સરકાર શોપિંગ મોલ, સુપર માર્કેટ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં પેટ્રોલ-ડીઝલ વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. લોકોને પેટ્રોલ અને ડીઝલ સરળતાથી મળી રહે તે હેતુસર સરકાર આ પગલું ભરી શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફ્યૂલ રિટેલિંગને લઈને સરકાર ટૂંક સમયમાં જ કેબિનેટમાં પ્રસ્તાવ રજુ કરી શકે છે. ફ્યુલ રિટેલિંગનો સીધો અર્થ એ થાય છે કે, તમે પેટ્રોલ-ડીઝલ પેટ્રોલ પંપ પર જ નહીં પણ શોપિંગ કોમ્પ્લેક્ષમાંથી પણ ખરીદી શકો છો.માહિતી પ્રમાણે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય આ પ્રસ્તાવ પર ગંભીરથી કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ પ્રસ્તાવને કેબિનેટને મંજૂરી આપવા મોકલી શકે છે. પ્રાઈવેટ પ્લેયર ફ્યૂલ રિટેલિંગમાં ઉતારવાને લઈને તમામ નિયમો અને શરતોમાં પણ છૂટછાટ આપવામાં આવી શકે છે. હાલ જે નિયમ છે તે ઘણા જ કડક છે. જેના કારણે પ્રાઈવેટ પ્લેયરે ફ્યૂલ રિટેલિંગમાં વધારે રસ નથી દાખવતા.હાલ જે નિયમો છે તે પ્રમાણે, પેટ્રોલ-ડીઝલ વેચવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઓછામાં ઓછા ૨૦૦૦ કરોડ રૂપિયા, ૩ મિલિયન ટન ફ્યૂલની બેંક ગેરેંટી જેવા કેટલાક આકરા નિયમ છે જેના પર છૂટછાટ આપવા પર મંત્રાલય વિચાર કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. જાહેર છે કે, જો સરકારનું આ પગલું હકીહત બને તો માનવામાં આવે છે કે, દેશના મોટા બિઝનેસ હાઉસ જેવા કે રિલાયંસ, કિશોર બિયાની પણ ફ્યૂલ રિટેલના આ સેક્ટરમાં ઝંપલાવી શકે છે.

Related posts

વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને હાઇટેક સુવિધા અપાશે

aapnugujarat

અયોધ્યા મામલે ચૂંટણી પહેલા ચુકાદો નહીં આવે તેવી શક્યતા

aapnugujarat

राज्यसभा ने शीला दीक्षित को दी श्रद्धांजलि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1