નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગંભીરપુરાના રહેવાસી ઇમરાનખાન અમીરૂદ્દિન રાઠોડ ગત ૨૦૧૬-૧૭ ના વર્ષ દરમિયાન જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે કેટલ શેડના બાંધકામ માટેની સહાય યોજના હેઠળ રૂા. ૧ લાખની સહાયને લીધે કેટલ શેડની સુવિધા ઉપલબ્ધ કરી શક્યા છે.લાભાર્થી ઇમરાનખાન રાઠોડ જણાવે છે કે, હવે કેટલ શેડની સુવિધાને લીધે તેમના પશુઓને સારી રીતે છાંયડામાં રાખી શકે છે અને ચોમાસા જેવી ઋતુમાં પણ વરસાદને લીધે ખુલ્લામાં પશુઓને બાંધવાથી પશુઓને પડતી મુશ્કેલીઓ પણ હવે અંત આવશે. પશુઓને અપાતા ઘાસચારાનો બગાડ પણ સારી ગમાણ વ્યવસ્થાને લીધે અટકી શક્યો છે. કેટલ શેડ બાંધકામથી ઘાસચારો તથા છાણ અલગ-અલગ રીતે નિકાલ કરીને છાણિયા ખાતરની ગુણવત્તામાં પણ સુધારો થવા પામેલ છે. દોહનની પ્રક્રિયા પણ હવે સરળ બની છે. વૈજ્ઞાનિક ઢબે કેટલ શેડ બાંધકામને લીધે હવે ઇમરાનખાન રાઠોડ તેમના પશુઓનું સારી રીતે લાલન-પાલન કરી રહ્યાં છે અને તેને લીધે દુધ ઉત્પાદનમાં વધારો થવાથી તેઓ વધુ નફો મેળવતા થયા છે અને તેમની આર્થિક વૃધ્ધિ કરી છે.