Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પેરિસ સમજુતી ભાવિ પેઢી માટે વિશ્વનો સંયુક્ત વારસો : મોદી

પેરિસ સંધીથી અમેરિકાનાં અલગ થયાનાં એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આ સમજુતી વિશ્વની સંયુક્ત વારસો છે અને ભારત હવામાન સંરક્ષણ માટે અપેક્ષાઓથી પણ આગળ વધીને કામ કરશે. ફ્રાન્સનાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અમેનુઅલ મૈક્રોની સાથે અહીં એલિસી પૈલેસમાં વ્યાપક વિચાર વિમર્શ બાદ મોદીએ કહ્યું કે પેરિસ સમજુતી કરાર ઘરતી અને આપણી પ્રકૃતીક સંસાધનોને બચાવવા માટેનું અમારૂ કર્તવ્યની ઝાંખી કરાવે છે. અમારા માટે આ આસ્થાનો વિષય છે.મોદીએ મેક્રો સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પેરિસ સમજુતી ભવિષ્યની પેઢીઓને પણ લાભાન્વિત કરશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર થયેલ પેરિસ સમજુતીથી અલગ થવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે આ સમજુતીનાં કારણે ભારત અને ચીનને વધારે ફાયદો થાય છે. જો કે મોદીએ કહ્યું કે ભારત આ મામલે સતત કામ કરતું રહેશે.સમજુતીની અપેક્ષા કરતા વધારે કરશે.

Related posts

चीन को ध्यान में रखकर मिसाइल बना रहा भारतः यूएस एक्सपट्‌र्स

aapnugujarat

મ્યાંમારમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં ૮૦થી વધારે પ્રદર્શનકારીઓના મોત

editor

હિટવેવથી અમેરિકામાં વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1