ચૂંટણી પરિણામો આવતા જ સમગ્ર દેશમાં ભાજપાની શાનદાર જીત, પાર્ટી અને કાર્યકર્તાઓ માટે ઉજવણીનો પ્રસંગ બન્યો છે, ત્યાં પહેલી જ વાર ચૂંટણી લડી રહેલ ઉત્તર મુંબઇથી કોંગ્રેસની ઉમેદવાર અભિનેત્રી ઉર્મિલા માતોંડકર પોતાની હાર સ્વીકારી શક્યા નથી.
તેમણે પોતાની હાર માટે ઇવીએમમાં ગડબડીને જવાબદાર ઠેરવી છે.હાર જાહેર થયા પછી ઉર્મિલાએ તેમના પ્રતિદ્વંદી ગોપાલ શેટ્ટીને જીતની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, અમને ઇવીએમમાં ગડબડીની જાણ થઇ છે અને આ મામલે એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે આજ સાંજ સુધી ચૂંટણી પંચને સોંપીશું.આ પહેલા મતગણતરી દરમિયાન ઉર્મિલાએ ટ્વીટ કરી હતી કે માગાથાના ઇવીએમ ૧૭ માં સિન્ગેચર અને મશીન નંબર અલગ છે જે મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, રવિવારે એક્ઝિટ પોલ જાહેર થતાની સાથે જ દેશના બધા જ વિપક્ષ દળો સતત ઇવીએમ મશીન પર સવાલો ઉઠાવી રહ્યા હતા, પરંતુ ચૂંટણી પંચે તમામ એફવાઓને ફગાવી દીધી હતી.
પાછલી પોસ્ટ